ગુજરાતના સરકારી કર્મચારીઓને ₹10 લાખ સુધી કેશલેસ સારવાર :ગુજરાત સરકારની નવી યોજના હેઠળ 6.42 લાખ કર્મચારી અને પેન્શનર્સને મળશે ₹10 લાખ સુધીની કેશલેસ સારવાર, લાખો પરિવારોને મળશે મોટી રાહત.
નવરાત્રિના પાવન અવસરે ગુજરાત સરકાર તરફથી મોટી જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના સરકારી અધિકારીઓ, કર્મચારીઓ અને પેન્શનર્સ માટે નવી **“ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના (G- કેટેગરી)નો શુભારંભ કરવામાં આવ્યો છે.
શું મળશે લાભ?
➡️ 6.42 લાખ સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને મળશે ₹10 લાખ સુધીની કેશલેસ સારવાર
➡️ રાજ્ય સરકાર પર આવશે વર્ષે ₹303.5 કરોડનો ખર્ચ
➡️ હાલ યોજના ક્યારે અમલમાં આવશે તેની સત્તાવાર જાહેરાત બાકી છે
યોજનાની ખાસિયતો
🔹 2018 થી અત્યાર સુધી 2.92 લાખ લાભાર્થીઓ સુધી પહોંચ્યું આયુષ્માન કાર્ડ
🔹 કુલ 51.27 લાખ દાવાઓ માટે ચુકવાયા ₹13,946.53 કરોડ
🔹 રાજ્યની 2708 હોસ્પિટલ (943 ખાનગી + 1765 સરકારી) યોજનામાં એમ્પેનલ્ડ
🔹 દર્દીઓને 2471 પ્રોસિજરનો મળશે લાભ
યોજનાનો ઇતિહાસ
વર્ષ 2012માં ₹30 કરોડના બજેટથી શરૂ થયેલી ‘મા યોજના’ 2014માં ‘મા–વાત્સલ્ય યોજના’ બની. 2012 થી 2018 દરમિયાન આ યોજના હેઠળ ₹1179.19 કરોડના ક્લેઇમ ચુકવાયા હતા.
મદદ માટે હેલ્પલાઇન
📞 યોજનાની વિગતવાર માહિતી કે ફરિયાદ માટે હેલ્પલાઇન નંબર – 079-66440104
સારાંશ
આ નવી યોજના લાખો સરકારી પરિવારો માટે આરો
ગ્ય ક્ષેત્રે મોટી રાહત સાબિત થશે.
0 ટિપ્પણીઓ